Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 700

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कविर्भार्गवः Chhand- जगती Swara- निषादः
Mantra with Swara
अ꣣भि꣢ प्रि꣣या꣡णि꣢ पवते꣣ च꣡नो꣢हितो꣣ ना꣡मा꣢नि य꣣ह्वो꣢꣫ अधि꣣ ये꣢षु꣣ व꣡र्ध꣢ते । आ꣡ सूर्य꣢꣯स्य बृह꣣तो꣢ बृ꣣ह꣢꣫न्नधि꣣ र꣢थं꣣ वि꣡ष्व꣢ञ्चमरुहद्विचक्ष꣣णः꣢ ॥७००॥

अ꣣भि꣢ । प्रि꣣या꣡णि꣢ । प꣣वते । च꣡नो꣢꣯हितः । च꣡नः꣢꣯ । हि꣣तः । ना꣡मा꣢नि । य꣣ह्वः꣢ । अ꣡धि꣢꣯ । ये꣡षु꣢꣯ । व꣡र्धते꣢꣯ । आ । सू꣡र्य꣢꣯स्य । बृ꣣ह꣢तः । बृ꣣ह꣢न् । अ꣡धि꣢꣯ । र꣡थ꣢꣯म् । वि꣡ष्व꣢꣯ञ्चम् । वि । स्व꣣ञ्चम् । अरुहत् । विचक्षणः꣢ । वि꣣ । चक्षणः꣢ ॥७००॥

Mantra without Swara
अभि प्रियाणि पवते चनोहितो नामानि यह्वो अधि येषु वर्धते । आ सूर्यस्य बृहतो बृहन्नधि रथं विष्वञ्चमरुहद्विचक्षणः ॥

अभि । प्रियाणि । पवते । चनोहितः । चनः । हितः । नामानि । यह्वः । अधि । येषु । वर्धते । आ । सूर्यस्य । बृहतः । बृहन् । अधि । रथम् । विष्वञ्चम् । वि । स्वञ्चम् । अरुहत् । विचक्षणः । वि । चक्षणः ॥७००॥

Samveda - Mantra Number : 700
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (चनः हितः) અન્નો-ભોજ્ય પદાર્થોમાં નિતાન્ત હિતકર અથવા નિતાન્ત હિતકર ભોગવવા યોગ્ય મધુર પદાર્થ સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મા આધ્યાત્મિક અન્ન છે (प्रियाणि नामानि अभि पवते) જે પોતાના (ओ३म् , भू) આદિ પ્રિય નામોને લક્ષ્ય કરીને ઉપાસકની તરફ આનંદધારા રૂપમાં પ્રાપ્ત થાય છે. ‘નામ પદાર્થના સ્વરૂપને નમાવતા-જણાવનાર થાય છે.’ (નિરુક્ત) (येषु यह्वः अधिवर्धते) જે નામોમાં મહાગુણવાળા પરમાત્મા ઉપાસના દ્વારા પ્રવૃદ્ધ થાય છે-સાક્ષાત્ થાય છે (बृहन् विचक्षणः) વિશેષ સાક્ષાત્ કરનાર જીવન્મુક્ત મહાન ઉપાસક (बृहतः सूर्यस्य) મહાન પ્રકાશમાન અને સરણીય પ્રાપ્તવ્ય પરમાત્મામાં (विश्वञ्चं रथम्) સર્વત્ર વિદ્યમાન આનંદરસધામમાં (आहसत्) આરોહણ કરે છે-અધિષ્ઠિત થાય છે. (૧)
 
Essence
 

ભાવાર્થ : ઉપાસકના હિતકર સેવનીય સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મા છે, તે આધ્યાત્મિક અન્ન હોવાથી નિતાન્તર હિતકર છે, ભૌતિક અન્ન તો હિતકર અને અહિતકર પણ હોય છે, પરન્તુ આધ્યાત્મિક અન્ન-પરમાત્મા તો અમૃત છે. જે પોતાના સ્વરૂપને ઉપાસકની તરફ નમાવનાર-સાક્ષાત્ કરાવનાર (ओ३म् , भू) વગેરે નામો દ્વારા ઉપાસકને આનંદધારામાં પ્રાપ્ત થાય છે, જેના નામોમાં મહાગુણવાન પરમાત્માનું સ્વરૂપ રહેલ છે, તેના અનુસાર સાક્ષાત્ થાય છે. તે મહાન પ્રકાશમાન પ્રાપ્ત કરવા યોગ્ય પરમાત્મા મહાન વિશેષ દ્રષ્ટા જીવન્મુક્ત દ્વારા યથાર્થ સાક્ષાત્ થાય છે, સર્વગત આનંદરસધામમાં રહેલ છે. (૧)