Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 56

1875 Mantra
Devata- ब्रह्मणस्पतिः Rishi- कण्वो घौरः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
प्रै꣢तु꣣ ब्र꣡ह्म꣢ण꣣स्प꣢तिः꣣ प्र꣢ दे꣣꣬व्ये꣢꣯तु सू꣣नृ꣡ता꣢ । अ꣡च्छा꣢ वी꣣रं꣡ न꣢꣯र्यं प꣣ङ्क्ति꣡रा꣢धसं दे꣣वा꣢ य꣣ज्ञं꣡ न꣢यन्तु नः ॥५६॥

प्र꣢ । ए꣣तु । ब्रह्म꣢꣯णः प꣡तिः꣢꣯ । प्र । दे꣣वी꣢ । ए꣣तु । सूनृ꣡ता꣢ । सु꣣ । नृ꣡ता꣢꣯ । अ꣡च्छ꣢꣯ । वी꣣र꣢म् । न꣡र्य꣢꣯म् । प꣣ङ्क्ति꣡रा꣢धसम् । प꣣ङ्क्ति꣢म् । रा꣣धसम् । देवाः꣢ । य꣣ज्ञ꣢म् । न꣣यन्तु । नः ॥५६॥

Mantra without Swara
प्रैतु ब्रह्मणस्पतिः प्र देव्येतु सूनृता । अच्छा वीरं नर्यं पङ्क्तिराधसं देवा यज्ञं नयन्तु नः ॥

प्र । एतु । ब्रह्मणः पतिः । प्र । देवी । एतु । सूनृता । सु । नृता । अच्छ । वीरम् । नर्यम् । पङ्क्तिराधसम् । पङ्क्तिम् । राधसम् । देवाः । यज्ञम् । नयन्तु । नः ॥५६॥

Samveda - Mantra Number : 56
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ब्रह्मणस्पतिः प्रैतुः વેદજ્ઞાન અને બ્રહ્માંડના સ્વામી પરમાત્મા મને અધ્યાત્મયજ્ઞમાં પ્રેરિત કરે - આગળ ધપાવે (सूनृता देवी प्र-एतु ‘‘प्रेतु'') દિવ્ય મંત્ર સ્તુતિ પણ મને અધ્યાત્મયજ્ઞમાં પ્રેરિત કરે (देवाः) મારા પ્રાણ (नः) અમારા (वीर नर्यम्) પ્રગતિકારક માનવ હિતકર (पंक्तिराधसम्) વાણી, શ્રોત્ર, નેત્ર, મન અને આત્મા એ પાંચેયથી સમર્પણ સિદ્ધ થયેલ (यज्ञम्) અધ્યાત્મયજ્ઞને (अच्छ नयन्तु) વ્યાપ્ત રૂપમાં અવરોધ વિના જીવનમાં આગળને આગળ ચલાવે-વધારે. (૨)
Essence
ભાવાર્થ : અધ્યાત્મયજ્ઞ માનવ જીવનનો કલ્યાણસાધક છે. જેને ચલાવનાર પ્રાણ છે. તે બળવાન હોવો જોઈએ. જો નિર્બળ પ્રાણવાળો મનુષ્ય સ્વાસ્થ્યરૂપ ભૌતિક અમૃતને પ્રાપ્ત કરી શકતો નથી, તો આધ્યાત્મિક અમૃતના સ્વાદથી તો દૂર રહેશે.

અધ્યાત્મયજ્ઞમાં મનુષ્યનું સર્વાંગ સમર્પણ જરૂરી છે, વાણી, કાન, નેત્ર, મન અને આત્મા એ પાંચેયનુ આહુત થઈ જવું-લાગી જવું જોઈએ. વાણીથી સ્તવન કીર્તન કરવું, કાનથી ગુણ શ્રવણ કરવા, નેત્રથી સંસારમાં તેની કલા જોવી, મનથી મનન કરવું અને આત્માથી તેનું ભાવન-અનુભવ કરવો. સાથે વિશ્વાત્મા જ્ઞાનદાતાની દયા તેમાં પૂર્ણ શ્રદ્ધા તેમજ તેની મંત્રગત સ્તુતિ પણ મુખ્ય સાધન છે. (૨)