Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 325

1875 Mantra
Devata- इन्द्रः Rishi- बृहदुक्थ्यो वामदेव्यः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
वि꣣धुं꣡ द꣢द्रा꣣ण꣡ꣳ सम꣢꣯ने बहू꣣ना꣡ꣳ युवा꣢꣯न꣣ꣳ स꣡न्तं꣢ पलि꣣तो꣡ ज꣢गार । दे꣣व꣡स्य꣢ पश्य꣣ का꣡व्यं꣢ महि꣣त्वा꣢꣫द्या म꣣मा꣢र꣣ स꣡ ह्यः समा꣢꣯न ॥३२५॥

वि꣣धु꣢म् । वि꣣ । धु꣢म् । द꣣द्राण꣢म् । स꣡म꣢꣯ने । सम् । अ꣣ने । बहूना꣢म् । यु꣡वा꣢꣯नम् । स꣡न्त꣢꣯म् । प꣣लितः꣢ । ज꣣गार । देव꣡स्य꣢ । प꣣श्य । का꣡व्य꣢꣯म् । म꣣हित्वा꣢ । अ꣣द्या꣢ । अ꣣ । द्य꣢ । म꣣मा꣡र꣢ । सः । ह्यः । सम् । आ꣣न ॥३२५॥

Mantra without Swara
विधुं दद्राणꣳ समने बहूनाꣳ युवानꣳ सन्तं पलितो जगार । देवस्य पश्य काव्यं महित्वाद्या ममार स ह्यः समान ॥

विधुम् । वि । धुम् । दद्राणम् । समने । सम् । अने । बहूनाम् । युवानम् । सन्तम् । पलितः । जगार । देवस्य । पश्य । काव्यम् । महित्वा । अद्या । अ । द्य । ममार । सः । ह्यः । सम् । आन ॥३२५॥

Samveda - Mantra Number : 325
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (बहुनाम्) અનેક ઈન્દ્રિયોનો (दद्राणाम्) દમનશીલ (विधुम्) સ્વયં વિધમાનશીલ-ચંચળ (युवानं सन्तम्) યુવાન જ્યાં સુધી શરીરમાં રહે છે, ત્યાં સુધી સમાન રૂપમાં વિદ્યમાન રહીને અન્તઃકરણ પદાર્થને (समने) રાત્રિ શયનમાં (पलितः) જ્ઞાની ચેતન આત્મા (जगार) ગળી જાય છે. (देवस्य) પરમાત્મા દેવની (काव्यं पश्य) કલા-શિલ્પને જોઈને (महित्वा) તેની મહાન શક્તિથી (अद्य ममार) આજ શયનકાળમાં જે મૃત સમાન બની ગયો (स ह्यः समानः) તે કાલ જે સમાન રૂપમાં હતો અથવા (ह्यः ममार अद्य समानः) ગઈકાલે મર્યો, આજે ફરી એવા કાર્યો કરવામાં એવો જ બની ગયો અથવા જે અન્તઃકરણ યુક્ત આત્મા કાર્યકરણસમર્થગત ગઈ કાલમાં હતો તે આજે મરી ગયો-શરીર ત્યાગી ગયો, જે આજ મરી ગયો, તે આગળના સમયમાં પુનઃ શરીર ધારણ કરીને તેવો જ ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે જન્મ મરણના શિલ્પ પરમાત્માનું વિવેચનીય છે. (૩)
Essence
ભાવાર્થ : એ અન્તઃકરણ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરનાર સ્વયં ચંચળ, શરીરમાં ઇન્દ્રિયોની અપેક્ષા યુવાન-વૃદ્ધત્વ રહિત છે. ઇન્દ્રિયો તો શરીરમાં રહીને પણ જીર્ણ-ક્ષીણ અથવા નષ્ટ થઈ જાય છે, પરન્તુ એ તો જ્યાં સુધી શરીર જીવિત છે, ત્યાં સુધી રહે છે, પરન્તુ રાતે શયન સમયે ચેતન આત્મા તેને પોતાની અંદર લઈ લે છે. અર્થાત્ ઈન્દ્રિયોનું સંચાલન કરનાર આત્મા અજર હોવા છતાં પણ મહાન ચેતન પરમાત્મા દેહ ત્યાગ પછી પોતાની અંદર લઈ લે છે, એ પરમાત્મા દેવનું શિલ્પ છે, કળા છે જે અન્તઃકરણ આજ રાત્રિમાં મૃત થયું અકિંચિતકર બની ગયું, કાલ એ પોતાના રૂપમાં ઠીક હતું અને આગળ પણ આવનારી કાલ ફરી એવી જ બની જશે અથવા એ પરમાત્માની કળા છે. જે આ આત્મ આજ મરી ગયો-દેહત્યાગ કરી ગયો, તે કાલ તો ઠીક સમાન હતો અને આવનારી કાલમાં ફરી દેહને પ્રાપ્ત કરીને ફરી એવો જ બની જાય છે. (૩)