Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 27

1875 Mantra
Devata- अग्निः Rishi- विरूप आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
अ꣣ग्नि꣢र्मू꣣र्धा꣢ दि꣣वः꣢ क꣣कु꣡त्पतिः꣢꣯ पृथि꣣व्या꣢ अ꣣य꣢म् । अ꣣पा꣡ꣳ रेता꣢꣯ꣳसि जिन्वति ॥२७॥

अ꣣ग्निः꣢ । मू꣣र्धा꣢ । दि꣣वः꣢ । क꣣कु꣢त् । प꣡तिः꣢꣯ । पृ꣣थिव्याः꣢ । अ꣣य꣢म् । अ꣣पां꣢ । रे꣡ताँ꣢꣯सि । जि꣣न्वति ॥२७॥

Mantra without Swara
अग्निर्मूर्धा दिवः ककुत्पतिः पृथिव्या अयम् । अपाꣳ रेताꣳसि जिन्वति ॥

अग्निः । मूर्धा । दिवः । ककुत् । पतिः । पृथिव्याः । अयम् । अपां । रेताँसि । जिन्वति ॥२७॥

Samveda - Mantra Number : 27
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अयम् अग्निः मूर्धा) એ પરમાત્મા અગ્નિ લોકત્રય - પૃથિવી, અન્તરિક્ષ અને દ્યુલોકની અગ્નિઓમાં મૂર્ધા = શીર્ષરૂપ છે, તેનો શાસક છે અને તેનો પણ પ્રકાશક છે ; (दिवः ककुत्) દ્યુલોકના મૂર્ધ ઊંચ ભાગનો પ્રકાશક જે સૂર્ય છે, તે ગૌણ છે, તેનો પરમાત્મા જ ઉંચ્ચ પ્રકાશક છે; સૂર્યમાં જે પ્રકાશક પુરુષ છે, તે ‘ओ३म्’ વ્યાપક બ્રહ્મ છે.

(पृथिव्याः पतिः) પૃથિવી પર જે ભૌતિક અગ્નિ છે, તે ગૌણ છે, એ જ પરમાત્મા અગ્નિ-અગ્રણી છે ‘‘तमेव भान्तमनु भाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति" (મુંડક-૨.૧૦) - “તે પરમાત્માના પ્રકાશથી સર્વ પ્રકાશમાન બને છે, તેની જ જ્યોતિથી સર્વ પ્રકાશિત થાય છે.

(अपां रेतांसि जिन्वति) અને જે અંતરિક્ષના "आपः अन्तरिक्षम्’’ (निघं० १.३) જળને "रेतः उदकनाम'' (निघं૦ १.१२) પ્રેરિત કરનારી વિદ્યુરૂપ અગ્નિ છે, તે પણ ગૌણ પ્રેરક છે, તેનો પ્રેરક પણ પરમાત્મા જ છે. (૭)
Essence
ભાવાર્થ : સંસારમાં પ્રકાશ અને તાપ ગુણોનો આધાર અગ્નિતત્ત્વ છે, તે પૃથિવી પર અગ્નિ નામથી, અન્તરિક્ષમાં વિદ્યુત્ નામથી અને ધુલોકમાં સૂર્ય નામથી પ્રસિદ્ધ છે; પરન્તુ તે ત્રણેય અગ્નિઓનો પ્રકાશક અને તાપપ્રદ ત્રણેય લોકોમાં વિદ્યમાન પરમાત્મા જ છે, તેને જ સર્વ જ્યોતિની જ્યોતિ, અગ્નિઓનો અગ્નિ માનીને તથા જાણીને તેની ઉપાસના કરવી જોઈએ પરંતુ જડ અગ્નિઓની ન કરવી જોઈએ. (૭)