Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 23

1875 Mantra
Devata- अग्निः Rishi- वामदेवो गौतमः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
अ꣡ग्ने꣢ मृ꣣ड꣢ म꣣हा꣢ꣳ अ꣣स्य꣢य꣣ आ꣡ दे꣢व꣣युं꣡ जन꣢꣯म् । इ꣣ये꣡थ꣢ ब꣣र्हि꣢रा꣣स꣡द꣢म् ॥२३॥

अ꣡ग्ने꣢꣯ । मृ꣣ड꣢ । म꣣हा꣢न् । अ꣣सि । अ꣡यः꣢꣯ । आ । दे꣣वयु꣢म् । ज꣡न꣢꣯म् । इ꣣ये꣡थ꣢ । ब꣣र्हिः꣢ । आ꣣स꣡द꣢म् । आ꣣ । स꣡द꣢म् ॥२३॥

Mantra without Swara
अग्ने मृड महाꣳ अस्यय आ देवयुं जनम् । इयेथ बर्हिरासदम् ॥

अग्ने । मृड । महान् । असि । अयः । आ । देवयुम् । जनम् । इयेथ । बर्हिः । आसदम् । आ । सदम् ॥२३॥

Samveda - Mantra Number : 23
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने)હે જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! તું (महान अयः असि) મહાન પ્રગતિશીલ છે. (देवयुवं जनं मृड) હું તને-ઇષ્ટદેવને ચાહનાર છું, મને મૃડ = સુખી બનાવ. (आसदं बर्हिः आ इयेथ) સમ્યક્ બેસવા યોગ્ય મારા હૃદયાવકાશરૂપ સદન-ગૃહમાં પૂર્ણરૂપમાં વિરાજમાન થા. (૩)
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! સંબંધીઓ અને મિત્રો સુખ આપનાર છે, પરન્તુ સદા અને સાચુ સુખ આપી શકતા નથી, જડ વસ્તુઓનું સુખ તો ક્ષણિક હોય છે, તેમાં પણ ‘‘भोगे रोगभयं वियोगे शोकभयम्" તેના ભોગમાં રોગનો ભય અને વિયોગમાં શોક ભય રહેલો છે.

સાચું સુખ અને સ્થિર સુખ તો તું જ તને ચાહનાર જનને પ્રદાન કરે છે; જે તને ચાહે છે તું તેને ચાહે છે. અન્ય સુખદાતાઓનો સમાગમ बाह्य-રહે છે; તારો-સુખદાતાનો સમાગમ મારી અંદર અભિન્ન, અછિન્ન રૂપમાં રહેલ છે; તેથી મારી અંદર આવ, તારી સર્વાત્મના સુખને પ્રદાન કર. (૩)