Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1474

1875 Mantra
Devata- अग्निः Rishi- भरद्वाजो बार्हस्पत्यः Chhand- वर्धमाना गायत्री Swara- षड्जः
Mantra with Swara
त्व꣡म꣢ग्ने य꣣ज्ञा꣢ना꣣ꣳ हो꣢ता꣣ वि꣡श्वे꣣षाꣳ हि꣣तः꣢ । दे꣣वे꣢भि꣣र्मा꣡नु꣢षे꣣ ज꣡ने꣢ ॥१४७४॥

त्व꣢म् । अ꣣ग्ने । यज्ञा꣡ना꣢म् । हो꣡ता꣢꣯ । वि꣡श्वे꣢꣯षाम् । हि꣡तः꣢ । दे꣣वे꣡भिः꣢ । मा꣡नु꣢꣯षे । ज꣡ने꣢꣯ ॥१४७४॥

Mantra without Swara
त्वमग्ने यज्ञानाꣳ होता विश्वेषाꣳ हितः । देवेभिर्मानुषे जने ॥

त्वम् । अग्ने । यज्ञानाम् । होता । विश्वेषाम् । हितः । देवेभिः । मानुषे । जने ॥१४७४॥

Samveda - Mantra Number : 1474
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 3;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 13; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : अग्ने - હે જ્ઞાન - પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (त्वं विश्वेषां यज्ञानां होता ) તું સમસ્ત યજ્ઞો યજનીય શ્રેષ્ઠ કર્મોનું સંપાદન કરનાર ઋત્વિજ (मानुषे जने देवेभिः हितः) - માનુષ જગતમાં - મનુષ્ય સમાજમાં વિદ્યમાન વિદ્વાનોએ માનેલ - સ્થાપિત કરેલ , તથા (मानुषे जने विश्वेषां - यज्ञानां होता देवेभिः) મનુષ્ય સમાજમાં થનાર - પ્રચલિત કરનાર તથા મનુષ્ય સમાજને માટે કરવામાં આવતાં સમસ્ત શ્રેષ્ઠ કર્મોનું સંપાદન કરનારા ઋષિઓએ તને માનેલ , નિર્ધારિત કરેલ અને હિત - અહિત પોતાની અંદર આધાર બનાવેલ - સ્થાપના કરેલ છે . તેથી તું મારા અધ્યાત્મ યજ્ઞના હોતા - કરનારા બનીને મારી તરફ આવ , હૃદયમાં બિરાજમાન થા .


 
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! હું શું કહું ? તું માત્ર મારા અધ્યાત્મ યજ્ઞનો જ હોતા-સંપાદન કરનાર જ નથી , પરંતુ માનવ સમાજમાં જેટલા પણ યજ્ઞરૂપ ભાવનાયુક્ત (પરોપકારનાં) શ્રેષ્ઠ કર્મો છે , જેવાં કે ભુખ્યાને ભોજનદાન , પીડિતોની રક્ષા , રોગીઓને આરોગ્ય પ્રદાન , ગાયો આદિની રક્ષા , વિધાન , શિક્ષણ પ્રધાન અને યોગનું અનુષ્ઠાન વગેરે છે ; તે સર્વ તને લક્ષ્ય કરીને જ છે - તારી આજ્ઞાનું પાલન છે ; તારા આશીર્વાદની પ્રાપ્તિ માટે છે , તારા આશ્રયથી જ ચાલે છે અને ફળે - ફૂલે છે ; તેથી તું મારી તરફ આવ , મારા હૃદયરૂપી ગૃહમાં વિરાજમાન થા , જેથી હું મારા આ અધ્યાત્મ યજ્ઞને સફળ બનાવીને તારા સ્વરૂપને પ્રાપ્ત કરી શકું , દિવ્યજીવન બનાવી શકું , તારા સંગથી અમૃત પ્રાપ્ત કરી શકું . (૨)